આ વર્ષે ગુરુપૂર્ણિમા કેવી રીતે ઉજવવી?
-ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
આત્મજ્ઞાની ગુરુની હાજરીમાં જ્ઞાન વૃદ્ધિ થાય છે, દુઃખ-તકલીફો ઘટે છે, કારણ વગર નું સુખ વધે છે, સમૃધ્ધિ આવે છે અને બધી પ્રતિભાઓ પ્રગટ થાય છે. તમે જેટલા વધુ ગુરુ સાથે જોડાયેલા અનુભવો છો, તેટલા જ આ ગુણો જીવનમાં પ્રગટ થાય છે.
મન ચંદ્ર સાથે સંકળાયેલું છે અને ગુરુ પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર પૂર્ણતાનું પ્રતીક છે. આ તે દિવસ છે જ્યારે શિષ્ય કૃતજ્ઞતા સાથે જાગે છે. કૃતજ્ઞતા એ દ્વૈતનો વિષય નથી પરંતુ અદ્વૈતનો વિષય છે. એ ક્યાંય જતી નદી નથી, એ તો પોતાની ભીતર વહેતો મહાસાગર છે.
તમારા જીવન પર વિચાર કરવા, જ્ઞાનને ઓળખવા માટે આ સારો દિવસ છે. આ જ્ઞાનને માન આપવું એટલે જીવનને માન આપવું છે. જિંદગીએ તમને ઘણા પાઠ ભણાવ્યા છે.જ્યાં સુધી તમે પોતાના જીવનમાં અંતર્મુખી નથી થતા, ત્યારે સુધી તમે ગુરુ તત્વનો અનુભવ નથી કરી શકતા. જીવન અને ગુરુ અવિભાજ્ય છે. ઘણીવાર આપણે સત્ય થી આપણું મોં ફેરવી લઈએ છીએ, આંખો બંધ કરીને આપણી ઈચ્છાઓને અનુસરતા રહીએ છીએ, બુદ્ધિનું અપમાન કરીએ છીએ.
આ ગુરુ પૂર્ણિમાની બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે તમને મળેલી ભેટનો સદુપયોગ કરવો. તમને ઘણા આશીર્વાદ મળ્યા છે, તમને મળેલા આશીર્વાદનો સદુપયોગ કરો. તમે હંમેશા વધુ મેળવશો. આપનાર અથાક આપે છે અને તેના બદલે કોઈ માનપાન માંગતું નથી. આપનાર તમને આપે છે અને તમને અનુભવ કરાવે છે કે એ તમારી પોતાની સિદ્ધિ છે, તમારું પોતાનું કર્મ છે. ખરેખર કંઈ જ તમારું નથી પરંતુ આપનાર તમને એવી રીતે આપે છે કે તમને એવું પણ ન લાગે કે તમે કંઈ લીધું છે.
તેથી, જો તમને સારો અવાજ આપવામાં આવ્યો હોય, તો તેનો સારી રીતે ઉપયોગ કરો. તેને ઉત્થાનદાયક અને સાંત્વના આપનાર બનવા દો. અન્યને દોષ આપવા, ફરિયાદ કરવા અથવા ખરાબ બોલવા માટે તમારી વાણીનો ઉપયોગ કરશો નહીં. તમને તીક્ષ્ણ બુદ્ધિ આપવામાં આવી છે, તેનો બને તેટલો સદુપયોગ કરો. તેવી જ રીતે, જો તમારી વાણી સારી હોય, તો તેનો સારી રીતે ઉપયોગ કરો. જો તમે સક્ષમ છો, તો સેવા કરો. તેનો સારી રીતે ઉપયોગ કરવાનો અર્થ છે કે સમાજ અને વિશ્વના કલ્યાણ માટે પોતાના અવાજનો ઉપયોગ કરવો, અન્યમાં દૈવી ગુણો જાગૃત કરવા. આ સૃષ્ટિમાં દિવ્યતા વ્યાપેલી છે. તેથી જગતની સેવા કરવી એ ભગવાનની પૂજા છે. જ્ઞાનનો સત્કાર કરવાથી તમારું જીવન અને બીજાના જીવન ઉન્નત બને છે.
બીજો સુંદર ગુણ એ છે કે કોઈ પણ પૂર્ણ ધારણા વિના ન્યાયી બનવું. ધારો કે કોઈ તમને ભેટ આપે અને તે તમને વારંવાર ભેટ વિશે યાદ કરાવે, તો તમને કેવું લાગશે? ન્યાયી હોવા અંગેની શંકા ગુસ્સો લાવે છે, નિરાશા લાવે છે અને બીજી રીતે તમને ખોટા બનાવે છે. એક સમયે એક ગુરુ હતા જેઓ તેમના શિષ્ય સાથે નદી પાર કરવા માટે હોડી પકડવા કિનારે જઈ રહ્યા હતા. કેટલાક છોકરાઓ આવ્યા અને શિષ્ય પર હસવા લાગ્યા અને તેને હેરાન કરવા લાગ્યા. તેઓએ તેના પર પથ્થરમારો શરૂ કર્યો. બદલામાં શિષ્ય કંઈ બોલ્યો નહિ. ગુરુ અને શિષ્ય હોડીમાં સવાર થયા. અધવચ્ચે પહોંચ્યા પછી જે હોડીમાં બીજા છોકરાઓ બેઠા હતા તે હોડી ડૂબવા લાગી.
ગુરુએ શિષ્યના ચહેરા પર થપ્પડ મારી. ગુરુના આ વર્તનથી શિષ્યને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું કે તે એક સારો શિષ્ય છે અને છતાં ગુરુએ તેને થપ્પડ મારી! ગુરુએ કહ્યું, “તે તમારી ભૂલ છે. તેમની હોડી ડૂબવા માટે તું જવાબદાર છે. તે તેમના ખરાબ વર્તન નો જવાબ આપ્યો ન હતો, જેનાથી તેમના કર્મનો નાશ થયો હોત. કુદરતે હવે તેમને વધુ આકરી સજા કરી છે, કારણ કે તમે તેમના ખરાબ વર્તન ને શાંત કરવા પૂરતી દયા દાખવી ન હતી.”
તેથી કોઈ શંકા વિના ધાર્મિક બનો; પવિત્ર બનો અને પવિત્રતાનું અભિમાન ન કરો; તમારી ઉદારતા દર્શાવ્યા વિના ઉદાર બનો; બુદ્ધિશાળી બનો અને એકદમ સ્વાભાવિક બનો. ક્યારેક મૂર્ખ બનવા માટે તૈયાર રહો.
જ્યારે તમે આ સમજો છો, ત્યારે તમે ખૂબ જ આભારી બનો છો અને તમે લાગણી, પ્રેમ અને ભક્તિથી અભિભૂત થાઓ છો, જે અનંતતા ને ખૂબ જ ગમે છે. તમારા દરેકમાં એક ગુરુ છુપાયેલો છે અને ત્યાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને તમારી અંદર ગુરુની પૂજા કરો.
આરતીનો અર્થ શું છે? તે જ્ઞાન અને આનંદમાં સમાઈ જવાની ક્રિયાને રજૂ કરે છે. વાસ્તવિક શું છે? અવાસ્તવિક શું છે? સત્ય શું છે? અને શું યોગ્ય નથી? તમારે આ પ્રશ્ન બીજા કોઈને પૂછવાની જરૂર નથી. તમારી અંદર કંઈક એવું છે જે તમને કહે છે કે આ સાચું છે અને આ ખોટું છે. તમારે તમારી અંદરના એ ગુરુ તત્વને માન આપવું જોઈએ.
ગુરુ પૂર્ણિમા એ સાધકોની ઉજવણી છે, જેઓ આ દિવસે તેમની આધ્યાત્મિક યાત્રામાં સુધાર અને સમીક્ષા કરે છે કે તેઓ કેટલા દૂર આવ્યા છે; તેણે જીવનમાં જે કંઈ પણ અનુભવ્યું છે; તેણે શું જ્ઞાન મેળવ્યું; તેઓએ કેટલા અવરોધ પાર કર્યા છે; અને તેમની યાત્રા ક્યાં જઈ રહી છે? અને તેમની યાત્રા અને માર્ગ પર તેમની પ્રગતિની સમીક્ષા કર્યા પછી, તેઓ પોતાને સેવા, સત્સંગ અને સાધના (આધ્યાત્મિક અભ્યાસ) માટે ફરીથી સમર્પિત કરે છે. તેથીઆ પૂર્ણિમા પર, એક સાધક સમીક્ષા કરે છે, ફરીથી પ્રતિબદ્ધ બને છે અને પછી કૃતજ્ઞતામાં આનંદ કરે છે.
artofliving.org/in-hi
अपने भीतर बैठे ज्ञानी और गुरु के साथ अभेद्य सम्बन्ध को जानना ही गुरु पूर्णिमा
गुरुदेव श्री श्री रवि शंकर
‘गुरु पूर्णिमा’ वह दिन है, जिस दिन शिष्य अपनी ‘सम्पूर्णता’ के प्रति सजग होता है। इस दिन शिष्य अपनी ‘संपूर्णता’ की सजगता में गुरु और ज्ञान के प्रति कृतज्ञता से भरा हुआ होता है लेकिन उसकी कृतज्ञता ‘द्वैत’ की नहीं होती, वह कृतज्ञता ‘अद्वैत’ के प्रति होती है।
शिष्य की सम्पूर्णता का दिन है गुरु पूर्णिमा
ऐसी ही एक कहानी है। एक गुरु जी थे। उनके पास बहुत से लोग कुछ न कुछ समस्या लेकर आते रहते थे। एक बार कोई व्यक्ति उनके पास आया और उसने कहा कि ‘मै अपनी परीक्षा में असफल हो गया और इसलिए बहुत दु:खी हूँ।’ तो गुरु जी ने उससे कहा कि ‘अरे तुम बड़े भाग्यशाली हो जो तुम्हारे साथ ऐसा हुआ, अब तुम और अच्छे से पढ़ाई करोगे; फिर एक और व्यक्ति आये उन्होंने कहा कि मेरी पत्नि मुझे छोड़कर चली गयी है, गुरु जी ने उन्हें भी वही उत्तर दिया कि ‘तुम बड़े भाग्यशाली हो, कम से कम अब तुम्हें इस बात का ज्ञान होगा कि स्त्रियों से कैसा व्यवहार करना चाहिए।’ सबसे बाद में एक शिष्य आया और उसने कहा कि “गुरुदेव ‘मैं’ बहुत भाग्यशाली हूँ क्योंकि ‘आप’ मेरे जीवन में हैं”, गुरु जी ने उससे कुछ कहा नहीं बल्कि जोर से एक थप्पड़ लगाया, वह शिष्य आनंद से नाचने लगा। दरअसल उस शिष्य को गुरु के थप्पड़ से यह अनुभूति हुई कि ‘वह’ और ‘गुरु’ अलग नहीं हैं। वहाँ कोई ‘द्वैत’ नहीं है । जैसे एक नदी एक स्थान से दूसरे स्थान तक बहती है लेकिन समुंदर अपने भीतर ही बहता रहता है। वैसे ही शिष्य के लिए गुरु पूर्णिमा का दिन, अपनी संपूर्णता के प्रति कृतज्ञता का दिन है ।
शिक्षा नहीं, दीक्षा देते हैं गुरु
एक शिक्षक शिक्षा देते हैं लेकिन ‘गुरु’ दीक्षा देते हैं । गुरु आपको जानकारियों से नहीं भरते बल्कि वे आपके भीतर जीवनी शक्ति जागृत करते हैं। गुरु की उपस्थिति में आपके शरीर का कण-कण जीवंत हो जाता है। उसी को दीक्षा कहते हैं। दीक्षा का अर्थ केवल जानकारी देना नहीं है, इसका अर्थ है ‘बुद्धिमत्ता का शिखर’ प्रदान करना । जब तक जीवन में विवेक नहीं उतरता, सहजता नहीं पनपती और प्रेम नहीं बहता तब तक हमारा जीवन अधूरा रहता है । हमारे जीवन में विवेक, प्रज्ञा, सहजता और प्रेम तभी आता है जब जीवन में ज्ञान हो, हम अंतर्मुखी हों और हमारा मन शांत हो; वही ‘गुरु तत्त्व’ है।
गुरु और जीवन को अलग नहीं किया जा सकता
हमारा जीवन ही गुरु तत्त्व है। अपने जीवन पर प्रकाश डालिए । आपने जो भी सही या गलत किया है, उन अनुभवों से जीवन ने आपको बहुत कुछ सिखाया है। यदि आप अपने जीवन से नहीं सीखेंगे, तो इसका अर्थ है कि आपके जीवन में गुरु नहीं हैं। इसीलिए अपने जीवन को देखिये और जो ज्ञान जीवन ने आपको दिया है, उसका आदर कीजिये ।
हमारा मन चंद्रमा से जुड़ा हुआ है, जब मन ज्ञान से परिपूर्ण होता है तब गुरु पूर्णिमा होती है। लेकिन जब हमारा मन, ज्ञान का आदर करना छोड़ देता है तब हमारे जीवन में अज्ञानता और अंधकार आता है । तब पूर्णिमा नहीं रहती, अमावस्या आ जाती है।
जो मिला है उसका आदर करने का दिन है गुरु पूर्णिमा
कई बार हम ही पूर्णता से अपना मुँह फेर लेते हैं, इच्छाओं की दौड़ में दौड़ने लगते हैं और ज्ञान का अनादर करने लगते हैं। देने वाला तो आपको दे ही रहा है, उसने आपको बहुत कुछ दिया है। आपको बहुत सारे आशीर्वाद दिए गए हैं, जब आप उन सभी का उपयोग करेंगे, तो आपको और अधिक आशीर्वाद दिया जाएगा। यदि आपको बोलना आता है, तो अपनी वाणी का उपयोग आरोप लगाने में या शिकायत करने में न करे, उसका ‘सदुपयोग’ करें। यदि आप शरीर से हृष्ट-पुष्ट हैं, तो सेवा कीजिये; इस तरह से आपको जो कुछ भी मिला है, उसका उपयोग समाजसेवा के लिए करें। ईश्वर संसार में ही रहते हैं, तो संसार की सेवा करना ही ईश्वर की पूजा करना है। ज्ञान का सम्मान करने से आपके जीवन में उन्नति होती है। जब आप इसके प्रति सजग हो जाते हैं, तो सहज ही आपमें कृतज्ञता भक्ति और प्रेम का भाव जागृत होने लगता है।
जाग के देखिये, हमारे जीवन में कितनी मधुरता, निष्ठा और प्रेम है। हमारे भीतर जो होता है, हम उसी को अपने चारों ओर भी पाने लगते हैं और फिर वह हमसे अन्य दूसरे लोगों को मिलने लग जाता है। इस धरती पर जितने संत-महात्मा, पीर-पैगंबर हुए हैं; हो रहे हैं और आगे होने वाले हैं और उसके साथ ही आपके अपने भीतर जो ज्ञानी और जो बुद्ध, जो गुरु बैठे हैं; उन सभी के साथ अपने अभेद्य संबंध को जानना ही, गुरु पूर्णिमा का सन्देश है।
-Dr Rajesh Bhojak through source of Art of Living
artofliving.org/in-hi




